પાકિસ્તાનને આંખે અંધારા લાવી દેનારી 2016ની સર્જિકલ સ્ટ્રાઈક પર મોટો ખુલાસો

વર્ષ 2016માં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરી ચૂકેલા લેફ્ટેનન્ટ જનરલ(સેવાનિવૃત્ત) ડી એસ હુડ્ડાએ શુક્રવારે કહ્યું કે મોદી સરકારે સરહદ પાર જઈને હુમલો કરવાની મંજૂરી આપીને ખુબ મોટો સંકલ્પ દેખાડ્યો છે, પરંતુ સેનાના હાથ તે અગાઉ પણ બંધાયેલા નહતાં. હુડ્ડા પણજીમાં જાહેરાત સંગઠનો દ્વારા આયોજિત એક વાર્ષિક કાર્યક્રમ 'ગોવા ફેસ્ટ'માં બોલી રહ્યાં હતાં. 

પાકિસ્તાનને આંખે અંધારા લાવી દેનારી 2016ની સર્જિકલ સ્ટ્રાઈક પર મોટો ખુલાસો

પણજી: વર્ષ 2016માં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરી ચૂકેલા લેફ્ટેનન્ટ જનરલ(સેવાનિવૃત્ત) ડી એસ હુડ્ડાએ શુક્રવારે કહ્યું કે મોદી સરકારે સરહદ પાર જઈને હુમલો કરવાની મંજૂરી આપીને ખુબ મોટો સંકલ્પ દેખાડ્યો છે, પરંતુ સેનાના હાથ તે અગાઉ પણ બંધાયેલા નહતાં. હુડ્ડા પણજીમાં જાહેરાત સંગઠનો દ્વારા આયોજિત એક વાર્ષિક કાર્યક્રમ 'ગોવા ફેસ્ટ'માં બોલી રહ્યાં હતાં. 

તેમણે કહ્યું કે, "હાલની સરકારે સરહદ પાર જઈને સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં એર સ્ટ્રાઈકની મંજૂરી આપવામાં નિશ્ચિતપણે મહાન રાજનીતિક સંકલ્પ દેખાડ્યો છે. પરંતુ તે અગાઉ પણ તમારી સેનાના હાથ બંધાયેલા નહતાં." તેમણે કહ્યું કે, "સેનાને ખુલ્લી છૂટ આપવા અંગે ખુબ વધુ પડતી વાતો થઈ છે. પરંતુ 1947થી સેના સરહદ પર સ્વતંત્ર છે. તેણે 3-4 યુદ્ધો લડ્યા છે. હુડ્ડાએ કહ્યું કે નિયંત્રણ રેખા એક જોખમી જગ્યા છે. કારણ કે જેમ મેં કહ્યું કે તમારા ઉપર ફાયરિંગ થઈ રહ્યું છે અને જમીન પર સૈનિકો તેનો તરત જવાબ આપશે. તેઓ (સૈનિકો) મને પણ નહીં પૂછે." તેમણે સૈન્ય અભિયાનોના પુરાવા માંગનારા નિવેદનોની પણ આકરી ટીકા કરી. 

તેમણે કહ્યું કે, "કૃપા કરીને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પર ભરોસો રાખો. સૈન્ય અભિયાનોના ડીજી જ્યારે ખુલ્લેઆમ જાહેરમાં કહે કે તેમણે સર્જિકલ સ્ટ્રાઈક  કરી તો સ્પષ્ટ છે કે તેમાં શક કરવાનું કોઈ કારણ નથી."

સેવા નિવૃત્ત લેફ્ટેનન્ટ જનરલે કહ્યું કે, "સશસ્ત્ર દળોએ કોઈ પણ સરકારના સમયમાં કોઈ પણ પ્રકારના રાજકીય હસ્તક્ષેપને જોયો નથી. સૈન્ય મામલાઓમાં હસ્તક્ષેપ કરનારા તરીકે હું સંપૂર્ણ નિષ્પક્ષતા અને ઈમાનદારીથી કહી શકું છું કે સૈન્ય અભિયાન કેવી રીતે ચલાવવામાં આવે તે અંગે ક્યારેય રાજકીય નેતાઓએ વધુ હસ્તક્ષેપ કર્યો નથી. કોઈએ કહ્યું નથી કે અમારે નિયંત્રણ રેખા ઉપર કેવો વ્યવહાર કરવો જોઈએ અને આ જ તમારે કરવું જોઈએ"

હુડાએ સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકી હુમલા બાદ સરહદ પાર કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક વખતે સેનાની ઉત્તર કમાનનું નેતૃત્વ સંભાળ્યું હતું. હુડ્ડા હવે રાષ્ટ્રીય સુરક્ષા મામલે કોંગ્રેસના કાર્યબળનું નેતૃત્વ કરી રહ્યાં છે. 

હુડ્ડાએ ઉરી આતંકી હુમલાને યાદ કરતા કહ્યું કે, "તે સાંજે, હું  ચીફ ઓફ આર્મી સ્ટાફની સાથે હતો. અમે તંબુઓની રાખના ચાર ઈંચ મોટા થર પરથી પસાર થઈ રહ્યાં હતાં અને કહી રહ્યાં હતાં કે આપણે કઈંક કરવું છે, આપણે આમ જ તેને જવા દઈ શકીએ નહીં." 

તેમણે કહ્યું કે, "જ્યારે અમે વિકલ્પો અંગે વાત કરી રહ્યાં હતાં ત્યારે એક વર્ષથી અમે એવી કોઈ આકસ્મિક સ્થિતિ માટે તાલીમમાં લાગ્યાં હતાં તે વાતે અમને ઘણી મદદ કરી. અમે એ નહતાં જાણતા કે અમને આવી તક ક્યારે મળશે." તેમણે કહ્યું કે "(ઉરી હુમલા પહેલા) છેલ્લા એક વર્ષથી સ્પેશિયલ ફોર્સિસને આ અંગે તૈયાર કરવામાં આવી રહી હતી...જો આપણે સરહદ પાર પાકિસ્તાનમાં હુમલો કરવો હોય તો આપણે શું કરવું જોઈએ."

હુડ્ડાએ કહ્યું કે, "જ્યારે અમે સૈનિકોને સરહદ પાર જતા અને આતંકીઓની નિશાન બનાવીને પાછા ફરતા જોઈએ છે ત્યારે તેનો અર્થ એ છે કે તેમણે તેમના સંપૂર્ણ જીવનમાં ફક્ત કામ, કામ અને કામ જ કર્યું છે. સેનામાં અમે કહીએ છીએ કે શાંતિકાળમાં તમે જેટલો પરસેવો વહાવશો, યુદ્ધ દરમિયાન તમારું એટલું જ લોહી ઓછું વહેશે."

જુઓ LIVE TV

હુડ્ડાએ  કહ્યું કે, "અમે સરહદ પાર પાંચ આતંકી શિબિરોને ટારગેટ કરવાનું નક્કી કર્યું. તે ખુબ જ પેચીદગીવાળું અભિયાન હતું. અમે આમ છતાં તેની પાર જવાનો નિર્ણય લીધો, જ્યાં આતંકી કેમ્પો હતાં. અમે તેમની નિશાન બનાવીને પાછા આવવાનો નિર્ણય લીધો."  તેમણે કહ્યું કે, "સેના ખુબ જ 'આત્મવિશ્વાસુ' હતી કારણ કે સુરક્ષાદળોને ઉત્તમ તાલિમ મળેલી હતી. હુડ્ડાએ કહ્યું કે હવે હું સત્ય કહું તો મેં સલાહ પર ખુબ ભરોસો  કર્યો. ટોચના સ્તરે નિર્ણય લેવા માટે તમે એકલા જ હોવ છો અને જો તમે સલાહ લેવામાંથી બચો તો બની શકે કે તમે ખોટો નિર્ણય લઈ લો."  તેમણે કહ્યું કે, "અમારે અલગ અલગ સમય પર નિશાન લગાવવાના હતાં."

હુડ્ડાએ કહ્યું કે 27 સપ્ટેમ્બરની રાતે (સર્જિકલ સ્ટ્રાઈકના બે દિવસ પહેલા) અમને એ સૂચના મળી કે તેમાંથી એક આતંકી કેમ્પને મજબુત બનાવીને સક્રિય કરાયો છે. અમે એ વિચારી રહ્યાં હતાં કે તેને નિશાન બનાવવાની સૂચિમાં રાખીએ કે નહીં. 

તેમણે કહ્યું કે, "ત્યારબાદ અમે ચારથી પાંચ લોકોની એક નાની ટીમ મોકલીને અને પોતાના નિશાન પર ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લીધો. અમે જોખમ ઉઠાવવાનો નિર્ણય લીધો, કારણ કે તે જરૂરી હતું. તે એવા લોકો હતાં જેમણે બીજા દિવસે અમને રસ્તો દેખાડ્યો."

હુડ્ડાએ કહ્યું કે,  "અમે પહેલા નિશાના પર લગભગ મધ્યરાત્રિએ વાર કર્યો હતો અને અંતિમ નિશાના ઉપર અમે સવારે 6 વાગે નિશાન લગાવ્યું હતું. આ બંને ટારગેટ વચ્ચે છ કલાકનું અંતર હતું. નિશ્ચિત રીતે પહેલું નિશાન લગાવ્યાં બાદ અમે ચિંતિત હતાં કે પાકિસ્તાનની સેના સક્રિય થઈ શકે છે અને વિચારી શકે છે કે બીજી જગ્યાઓને પણ નિશાન બનાવી શકાય છે." તેમણે કહ્યું કે, "સદનસીબે અમે તેમની ચકિત કરી દીધા."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news